Saturday, 24 August 2019

શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન દર્શન

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ

🧘🏻‍♂ જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

🧘🏻‍♂ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

🧘🏻‍♂ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

🧘🏻‍♂ રાશી-લગ્ન - વૃષભ રાશી

🧘🏻‍♂ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ

🧘🏻‍♂ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર

🧘🏻‍♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

🧘🏻‍♂વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે

🧘🏻‍♂ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી

🧘🏻‍♂ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]

🧘🏻‍♂ પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

🧘🏻‍♂ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી

🧘🏻‍♂ બહેન - સુભદ્રા

🧘🏻‍♂ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

🧘🏻‍♂મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

🧘🏻‍♂ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

🧘🏻‍♂ અંગત મિત્ર - અર્જુન

🧘🏻‍♂ પ્રિય સખી - દ્રૌપદી

🧘🏻‍♂પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા

🧘🏻‍♂ પ્રિય પાર્ષદ - સુનંદ

🧘🏻‍♂ પ્રિય સારથી - દારુક

🧘🏻‍♂ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

🧘🏻‍♂ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

🧘🏻‍♂રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન

🧘🏻‍♂ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

🧘🏻‍♂ પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા

🧘🏻‍♂ પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા

🧘🏻‍♂પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

🧘🏻‍♂ પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

🧘🏻‍♂ પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

🧘🏻‍♂ પ્રિય પ્રાણી - ગાય , ઘોડા

🧘🏻‍♂પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

🧘🏻‍♂ પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

🧘🏻‍♂ પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર

🧘🏻‍♂ પ્રિય સભામંડપ - સુધર્મા

🧘🏻‍♂ પ્રિય પીંછુ - મોરપિચ્છ

🧘🏻‍♂ પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર

🧘🏻‍♂ પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

🧘🏻‍♂ પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી

🧘🏻‍♂ પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું

🧘🏻‍♂ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન

🧘🏻‍♂ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ

🧘🏻‍♂ મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

🧘🏻‍♂ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

🧘🏻‍♂ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

🧘🏻‍♂ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

🧘🏻‍♂ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

🧘🏻‍♂ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર

🧘🏻‍♂ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત

🧘🏻‍♂ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ

🧘🏻‍♂ પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

🧘🏻‍♂ પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

🧘🏻‍♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ

🧘🏻‍♂ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી

🧘🏻‍♂ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

🧘🏻‍♂ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ

🧘🏻‍♂ મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

🧘🏻‍♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો

🧘🏻‍♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે

🧘🏻‍♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

🧘🏻‍♂ સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર

🧘🏻‍♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું

🧘🏻‍♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

🧘🏻‍♂ શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ

Thursday, 22 August 2019

પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી વાત

પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી વાત


પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી અને અમલમાં મૂકવા જેવી આ સલાહનો અમલ કરજો, જીવન જીવવાલાયક બનશે

પાંચમની છઠ થતી નથી. આયુષ્યનાં ૫૦ વર્ષ એટલે પાંચમનો સંધ્યાકાળ માની શકાય કે પછી કહો કે છઠનો સૂર્યોદય માની શકાય. ૫૦ પછી એટલું તો મહદંશે નક્કી થઈ જતું હોય છે કે જેટલો સમય રહ્યા એટલો સમય તો રહેવા નથી જ મળવાનું અને જો આ નક્કી થઈ જતું હોય તો પહેલો પ્રયાસ એ કરવો કે ૫૦ના થયા પછી નક્કી કરવું કે હવે મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવી નથી. બહુ રાખી લીધી અપેક્ષા અને બહુ બધાએ પૂરી પણ કરી લીધી. જો કોઈએ પૂરી નથી કરી આટલાં વર્ષ પછી તો હવે તમારી અપેક્ષા પૂરી કરે એવી ધારણા પણ ન રાખવી જોઈએ. અપેક્ષા નહીં, છોડી દો અપેક્ષા અને જ્યાં છો, જેમ છો અને જે રીતે રહો છો એને શાશ્વત સુખ માનીને એનો આનંદ લો. ૫૦ વર્ષે તો આ થવું જ જોઈએ. આ એવી ઉંમર છે જ્યારે તમને અવસાન-નોંધ વાંચવાની આદત પાડવાની છે. સાથે રહેલાં અને જેમને મામા-કાકા કે ફૈબા કહીને મોટા થયા છો એ લોકો જવા માંડ્યાં હોય છે અને તમને મામા-કાકા કહેનારાઓના જીવનમાં નવાં પાત્રો ઉમેરાવાનું શરૂ થવા માંડ્યું હોય છે. આવા સમયે અપેક્ષાઓનો ભાર રાખીને એ ભાર સામેવાળાના ખભા પર મૂકીને એનું વજન આપવું એના કરતાં અપેક્ષારહિત થઈને એ અવસ્થાનો આનંદ લો. આવે તો મોસ્ટ વેલકમનો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. હવે તમે નાના નથી રહ્યા. ભલે સાયન્સ આગળ વધ્યું અને ઓપન હાર્ટ સર્જરી પછી સાતમા દિવસે તમે ગૅલરીમાં બેસીને મગફળી ફોલીને ખાઈ શકતા હો. એ તમારી ખુમારી છે પણ હકીકત તો એ જ છે કે ઑલમોસ્ટ પોણી ઉંમર તમે પસાર કરી લીધી છે અને હવે ગમે ત્યારે ઉપરથી કહેણ આવી શકે છે. જો કહેણ કોઈ પણ તબક્કે આવી શકે એમ હોય તો થોડા તો ક્લીન થઈએ, થોડા તો સાફ થઈએ.
ઉપરવાળાએ મોકલ્યા ત્યારે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર મોકલ્યા હતા. તેણે ન તો શરીરમાં કોઈ બગાડ આપ્યો હતો કે ન તો મસ્તકમાં કોઈ જાતનું ભૂસું ભર્યું હતું. મમ્મીને નહોતી ગમતી એ દાદી તેડતી તો પણ આપણે તેની સામે મસ્તમજાનું સ્માઇલ આપી દેતા અને પપ્પાને નહોતા ગમતા એ મામા સાથે પણ રમવા માટે આપણે ભારોભાર ઉત્સુક રહેતા. કોઈ બગાડ ઉપરવાળાએ નહોતો આપ્યો, એ બધું આપણે નાખ્યું અંદર અને એને પાળી-પોષીને મોટું કર્યું પણ હવે, હવે જવાનો સમય આવ્યો છે. ૫૦ની ઉંમર થઈ સાહેબ, વનપ્રવેશને જોખમી કહેનારા ગુજરાતીઓનો તોટો નથી અને વાનપ્રસ્થ આશ્રમની વાતો પણ શાસ્ત્રોમાં અદ્ભુત રીતે લખવામાં આવી છે. વનપ્રવેશનું જોખમ પણ જાણીએ છીએ અને વાનપ્રસ્થ આશ્રમના લાભ પણ જાણીએ છીએ અને એ પછી પણ મનમાં, મસ્તકમાં ભરાયેલું ભૂસું કાઢવાની તૈયારી નથી. ઉપરવાળાએ કોઈ માનસિકતા નહોતી બાંધી આપી, એ પણ આપણે બાંધી છે અને ઉપરવાળાએ કોઈ સ્વભાવ પણ નહોતો આપ્યો એ પણ આપણે જ ઘડ્યો છે. તો હવે જ્યારે જવાનો સમય નજીક આવવાનું શરૂ થઈ રહ્યું છે ત્યારે શું કામ આપણે બાંધેલા સ્વભાવને અહીં જ મૂકી ન દેવો? શું કામ માનસિકતાને અહીં જ તોડી ન નાખવી?
કોઈ અપેક્ષા નહીં, કોઈ દ્વેષ નહીં. કોઈ ખૂન્નસ નહીં, કોઈ બંધન નહીં. કહ્યું એમ, આવે તો ‘મોસ્ટ વેલકમ’નો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. મળવાનું મન થાય તેને પ્રેમથી મળો, તે પ્રેમ ન દેખાડે તો એનો હરખશોક છોડી દો. તમને ગમે છે, તમને મજા આવે છે, તમને પ્રેમ છે. બસ, આ જ વાત મહત્ત્વની છે. એ વાત પણ ભૂલી જાઓ કે હવે જરૂર પડે ત્યારે તેને દેખાડી દઈશ. ના, નહીં, દેખાડી દેવાનો સમય ગયો. હવે સમય છે જોઈ લેવાનો, માણી લેવાનો. સમય ઓછો છે. રામ જાણે ક્યારે બૅકગ્રાઉન્ડમાં ગીત વાગવા માંડે, ‘ચલો બુલાવા આયા હૈ...’
દેખાડી દેવાની ભાવના કે મોઢું ચડાવવાની ગણતરીઓને તિલાંજલિ આપી દેશો તો બનશે એવું કે જતી વખતે વળાવવા આવનારાઓની ભીડ મોટી હશે. આ ભીડ તમે નથી જોવાના પણ એ ભીડ તમારા સ્વજનને સાચવી લેવાનું કામ કરશે એ નક્કી છે. આ ભીડથી તમારા જવાનું દુઃખ ઓછું નથી થવાનું, પણ આ ભીડ તમારા જેવું જીવવાની પ્રેરણા ચોક્કસ સેંકડોને આપશે. સીધી વાત, સીધો હિસાબ. સંબંધોમાં નવી કોઈ કળવાણી નથી ઉમેરવી, જે સંબંધો બંધાયેલા રહ્યા છે, જે સંબંધો ઉષ્માનું ભાથું આપી ચૂક્યા છે એ સંબંધોને આજીવન હવે જાળવી રાખવાના પ્રયાસ કરવા છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ પ્રેમ અને લાગણી છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ માથું મૂકીને રડી લેવાની અને પેટ ભરીને હસી લેવાની ક્ષણો વિતાવી છે. ખાલી થવાનું છે કડવાશથી અને ખાલી થઈ જવાનું છે ઘૃણાથી.
ખાલી થવાનું છે ઈર્ષ્યાથી અને ખાલી થઈ જવાનું છે મનમાં ઘર કરી ગયેલા હું-ત્વમાંથી. જવાબદારીઓમાંથી છૂટવાનું નથી, પણ જવાબદારીઓમાંથી બીજા સૌકોઈને છૂટા કરી દેવાના છે. જવાબદારીઓ જીવનની અંતિમ ક્ષણ સુધી અકબંધ રાખવાની છે, પણ કોઈ જવાબદારી ચૂકે તો એ વાતને ગાંઠે નથી બાંધવાની, એ વાતમાં આંતરિક કડવાશ નથી ઉમેરવાની. યાદ એક જ વાત રાખવાની છે કે હવે જવાનું છે. જવાનો સમય આવે ત્યારે છો, મોકલ્યા હતા એવા થઈને ન જઈ શકીએ પણ ઍટ લીસ્ટ આપણે જાતે જ ઊભા કરેલા કાદવ અને કીચડનો ભાર તો હળવો કરી નાખીએ.

Saturday, 10 August 2019

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવાની રીત....

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.

સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે  ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.

નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.

(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ

(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.

(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનું કદ

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ

૭ ફૂટ બાય ૬ ફૂટ

૬ ફૂટ બાય ૪ ફૂટ

૩ ફૂટ બાય ૨ ફૂટ

૭ ઇંચ બાય ૬ ઇંચ

આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે...