[9:21am, 04/11/2014] Paresh: મોઢેરામાં આવેલ મોઢેશ્વરી માં ના મંદિરનું સરનામું તથા સંપર્ક નંબર
સંસ્થાનું નામ - શ્રી મોઢેશ્વરી દેવસ્થાન સંસ્થા
સરનામું - મોઢેરા, તા.બેચરાજી, જિ.મહેસાણા, ગુજરાત, પીન કોડ નં.૩૮૪૨૧૨
સંપર્ક નંબર - ૦૨૭૩૪-૨૮૪૩૨૭, ૦૨૭૩૪-૩૧૪૫૫૨, ૦૨૭૩૪-૨૯૪૦૪૯
શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - ગામ-તેરા, તા-અબડાસા, જિ-કચ્છ
ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નું મંદિર આવેલું છે. તેરા ગામ ભુજથી આશરે ૮૫ કિ.મી. દૂર આવેલ છે. ઇસુની ૧૬ મી સદીમાં શ્રી કલ્યાણજી ભટ્ટ ભુજથી તેરા આવેલા ત્યારે તેઓ મોઢેશ્વરી માતાજીને તેમની સાથે લઇ આવેલ અને તેમના તેરા ગામમાં હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) ના નિવાસસ્થાને માતાજીની સ્થાપ્ના કરેલી. અહીં મોઢ બ્રાહ્મણોના હરિયાણી ભટ્ટ તથા કંકાણી ભટ્ટના સતીમાઁ પણ છે. ત્યાર બાદ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી એ તેરા ગામે જયાં માતાજીનું મંદિર આવેલ છે તે મકાન તથા આસપાસની જમીનના માલિકોનો સંપકૅ કરી તે જગ્યાએ માતાજીનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યકત કરી. જેથી આ જમીનના માલિકો (૧) ગં.સ્વ.શાંતાબેન હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) (૨) શ્રી ઇશ્વરલાલ જટાશંકર જોષી (હાલે-માંડવીવાળા) (૩) ભવાનીશંકર કુંવરજી ત્રિપાઠી આ તમામ પરિવારોના વારસદારોએ પોતાની જમીન મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી. બાદ આ મંદિરના નિર્માણની કાયૅવાહી શરુ થઇ. આ મંદિરની પાયાવિધિ-ભૂમિપુજન તા. ૧૧/૧૦/૧૯૯૭ ના રોજ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી ના હસ્તે કરવામાં આવ્યું હતું અને મંદિરનું સંપૂણૅ કાયૅ તા. ૨૯/૧/૧૯૯૯ ના શુક્રવારે સવંત ૨૦૫૫ ના મહાસુદ-૧૩ ના દિને સંપન્ન થયેલ હતું. તે દિવસથી દર વર્ષે મહા સુદ-૧૩ ના દિને અહીં તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નો પાટોત્સવ ઉજવાય છે.
શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - સોલા - અમદાવાદ
ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતેશ્રી બારાબાવન મોઢ બ્રાહ્મણ વિદ્યોત્તેજક ટ્રસ્ટ મંડળ, ગાંધીનગર દ્વારા છાત્રાલયનું બાંધકામ પૂર્ણતાના આરે હતું. ત્યારે વડોદરા નિવાસી ગં.સ્વ.કમળાબેન ભાનુપ્રસાદ ત્રિવેદી અમેરિકાથી પોતાના વતનમાં આવ્યા. તેમણે છાત્રાલયની મુલાકાત લીધી અને તેમણે અહીં મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. તેથી શ્રી કાંતિભાઈ એમ. જાની એ મહેન્દ્રભાઈ તલાટીનો સંપર્ક કરી સો વાર જમીન મેળવી. ત્યાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી શશમ્બિકા માતાજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તા.૧૩/ર/૧૯૯૬ ના મંદિરોના નિર્માણનું ભૂમિપુજન શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રી અશ્વિનભાઈ પંડયા (મુંબઈ), શ્રી ચંદ્રકાંતભાઈ જાની (અલ્લુવા), શ્રી દિપકભાઈ વિનોદચંદ્ર, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી છોટુભાઈ જોઈતારામ ત્રિવેદી, શ્રી ચંદ્રકાંતભાઈ મૂળશંકર જાની (ત્રિયોડ), તેમજ આ ટ્રસ્ટના પ્રતિનિધિઓ શ્રી ભાનુભાઈ જાની, શ્રી અમૃતલાલ દેવશંકર ત્રિવેદી, શ્રી રજનીકાંતભાઈ પંડયા, શ્રી સુભાષભાઈ ત્રિવેદી, શ્રી જયંતિલાલ ભીખાલાલ ત્રિવેદી, શ્રી સૂર્યકાંતભાઈ કે. જાની, શ્રી નરેશકુમાર ગૌરીશંકર ત્રિવેદી તથા શ્રી નર્મદાશંકર પંડયા અને ડો.શ્રી બી.એલ.ત્રિવેદી વિગેરેનાઓએ મંદિરના નિર્માણ કાર્યમાં રસ લીધો હતો. આ મંદિરમાં એક ગર્ભગૃહ, કોખી મંડપ, નૃત્ય મંડપનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિરનં કાર્ય પૂર્ણ થતા તા. ૩૧/૧૦/૧૯૯૯ ના સવંત ર૦પપ આસો સુદ આઠમના રવિવારે શ્રી માતંગી માતાજીની સ્થાપ્ના કરવામાં આવી.
શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - વડોદરા
ગુજરાતમાં વડોદરા શહેરમાં ગોત્રી ગાયત્રીનગર વિસ્તારમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે.
સૌપ્રથમ આ જગ્યા ખાડા તથા બાવળિયાવાળી હતી. તેને સમથળ કરી ત્યાં દેરી બનાવી તેમાં શ્રી માતંગી માતાજીની છબી જ પધરાવવામાં આવેલ. થોડા વર્ષો બાદ ત્યાં શિખરવાળું મંદિર બનાવવામાં આવ્યું અને તેના પરિસરમાં અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું. મંદિર માટે સને-ર૦૦૧ માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરની સ્થાપ્ના કરવા માટે નોકરીમાંથી નવ વર્ષ પહેલા નિવૃતિ લેનાર શ્રી રમેશભાઈ બી. શાહ (જેમની બંને કિડની બગડી ગયેલ હોવા છતાં હિંમત ન હારનાર) તથા તેમના પત્ની શ્રીમતિ કોકિલાબેન તથા મિત્રો વિગેરેનો ફાળો મહત્વનો છે. આ મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી કાલિકા માતાજી તથા શ્રી અંબા માતાજી પણ બિરાજમાન હોઈ તેને ત્રિમૂર્તિધામ તરીકે પણ ઓળખાય છે. તેમજ આ મંદિરમાં શંકર ભગવાનને પણ બિરાજવામાં આવેલ છે. આ મંદિરમાં નવચંડી યજ્ઞો, લઘુરૂદ્ર, અભિષેક, મહાસુદ આઠમના નવચંડી, દેવ દિવાળીના દિવસે અન્નકુટ વિગેરે તહેવારો ઉજવવામાં આવે છે. તેમજ દર પુનમના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે.
શ્રી મિથેશ્વરી (મોઢેશ
[9:31am, 04/11/2014] +91 98 25 930177: મોઢ બ્રાહ્મણના ગૌત્ર
અ.નં. ગૌત્ર પ્રવર અટક ગૌત્રદેવી
૧ ગાગ્યનિસ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઔર્વ, જમદગ્નિ જાની, પાઠક, દવે શાંતાદેવી
૨ ગાંગાનસ ગૌત્ર વિશ્વામિત્ર, બિલ્વ, કાત્યાયન - સુખદાદેવી
૩ કૃષ્ણાત્રેય ગૌત્ર આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ - ભટ્ટારિકાદેવી
૪ માંડવ્ય ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, શાંત, આપ્નુવાન, જમદગ્નિ ઉપાધ્યાય, દવે, જોષી, ત્રવાડી ભટ્ટારિકાકુળદેવી
૫ વૈશંપાયન ગૌત્ર અંગિરા, અંગિરસ, યૌવનાશ્વ - લિંબજાદેવી
૬ વત્સ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાસ, વત્સ, પુરોઘસ યાજ્ઞિક (જાની) જ્ઞાનજાદેવી
૭ કશ્યપ ગૌત્ર કાશ્યપ, આવત્સાર, નૈધૃવ ઉપાધ્યાય ગાત્રાંડાદેવી
૮
ધારણસ ગૌત્ર
અગસ્તિ, ધતૃવ્ય, ઈદ્મવાહ
જાની, ઉપાધ્યાય, પાઠક, પંડયા, જોષી, ત્રવાડી, ભટ્ટ
છત્રજાદેવી
૯ લૌગાક્ષી ગૌત્ર કાશ્યપ, આવત્સાર, શાંતસ્તંબ ત્રવાડી(ત્રિપાઠી), પંડયા, ઉપાધ્યાય સદાયોગિનીદેવી
૧૦ કૌશિક ગૌત્ર વિશ્ર્વામિત્ર, દેવરાજ, ઉદાલક ત્રવાડી(ત્રિપાઠી), પાઠક, પંડયા, જોષી યક્ષિણીદેવી
૧૧ ઉપમન્યુ ગૌત્ર વસિષ્ઠ, ઈન્દ્રપ્રદમ, આભ્રદ્રસુ વ્યાસ, પંડયા, ત્રિવેદી, દવે, ભટ્ટ ગાત્રાંડાદેવી
૧૨ વાત્સાયન ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઉર્વ, ભારદ્વાજ - ભટ્ટારિકાદેવી
૧૩ વત્સસ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, વત્સ, પુરોઘસ જાની,ઉપાધ્યાય,પાઠક,પંડયા, દવે, જોષી, વ્યાસ, અગ્નિહોત્રી ભટ્ટારિકાદેવી
૧૪ ભારદ્વાજ ગૌત્ર અંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ દિક્ષીત, જાની, ઉપાધ્યાય, પાઠક, ત્રવાડી, ભટ્ટ, શુકલ, મહેતા ગાત્રાંડાદેવી
૧૫ ગાંગેય ગૌત્ર ગાંગીય, ઔર્વવાન, શંષણી - સિંહારોહદેવી
૧૬ શૌનક ગૌત્ર ભારદ્વાજ, ગાર્ત્સમદ, શૌનક - દુર્ગાદેવી
૧૭ કુનિકસ ગૌત્ર વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક ત્રવાડી(ત્રિપાઠી),રાવલ,શુકલ,ભટ્ટ,મહેતા તારણાદેવી
૧૮ ભાર્ગવ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, જૈમિની, આપ્નુવાન, મથી - ચામુંડાદેવી
૧૯ પૈગ્ય ગૌત્ર અર્ચનાનસ, અત્રિ, શ્યાવાશ્વ - -
૨૦ અંગિરસ ગૌત્ર આંગિરા, ઔતિથ્ય, ગૌતમ - માતંગીદેવી
૨૧ અત્રિ ગૌત્ર આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ ઉપાધ્યાય ચંદ્રિકાદેવી
૨૨ અઘમર્ષણ ગૌત્ર ભારદ્વાજ, અઘમર્ષણ, ગૌતમ - દુર્ગાદેવી
૨૩ જૈમિની ગૌત્ર વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક - વિશાલાક્ષીદેવી
૨૪ ગાર્ગ્ય ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન - નંદાદેવી
૨૫ કુત્સસ ગૌત્ર આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ દિક્ષીત, જાની, દવે, પંડયા, મહેતા, જોષી, રાવળ ચંદ્રિકાદેવી
૨૬ શાંડિલ્ય ગૌત્ર શાંડિલ્ય, દેવલ, અપવત્સાર ઉપાધ્યાય, જોષી, મહેતા -
૨૭ જાતુકર્ણ્ય ગૌત્ર વસિષ્ઠ, આત્રેયસ, જાતુકર્ણ્ય ભટ્ટ -
૨૮ વસિષ્ઠ ગૌત્ર વસિષ્ઠ, ઈન્દ્રપ્રમદ, આભ્રદ્રસુ જોષી -
૨૯ છાંદાનસ ગૌત્ર આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ દવે, ત્રવાડી, ત્રિપાઠી -
૩૦ ગૌતમ ગૌત્ર ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય ત્રવાડી, ત્રિપાઠી -
૩૧ પરાશર ગૌત્ર - ત્રવાડી, ત્રિપાઠી -
૩૨ ઔતથ્ય ગૌત્ર ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય દવે, પંડયા -