Thursday, 13 November 2014

Ak pyarisi kavita

. . . . . एक प्यारी सी कविता . . . . .

              " वक़्त  नहीं "

हर  ख़ुशी  है  लोंगों  के दामन  में,
पर  एक  हंसी  के  लिये वक़्त  नहीं.

दिन रात  दौड़ती  दुनिया  में,
ज़िन्दगी  के  लिये ही  वक़्त नहीं.

सारे  रिश्तों को  तो  हम मार चुके,
अब  उन्हें  दफ़नाने  का  भी वक़्त नहीं ..

सारे  नाम  मोबाइल  में  हैं ,
पर  दोस्ती  के  लिये  वक़्त  नहीं .

गैरों  की  क्या  बात करें ,
जब  अपनों  के  लिये  ही वक़्त नहीं.

आखों  में  है  नींद भरी ,
पर  सोने  का वक़्त  नहीं .

दिल  है  ग़मो  से  भरा  हुआ ,
पर  रोने का  भी  वक़्त  नहीं .

पैसों  की दौड़  में  ऐसे  दौड़े, की
थकने  का  भी वक़्त  नहीं .

पराये एहसानों  की क्या  कद्र  करें ,
जब अपने  सपनों  के  लिये  ही वक़्त नहीं 

तू  ही  बता  ऐ  ज़िन्दगी ,
इस  ज़िन्दगी  का  क्या होगा,
की हर  पल  मरने  वालों  को ,
जीने  के  लिये भी  वक़्त  नहीं ... .......         www.viraltrivedimorbi.blogspot.com

Friday, 7 November 2014

Bahane nahi safltake rashte khojiye

बहाने नहीं सफलता के रास्ते खोजिए. . . . .
.
.
1.मुझे उचित शिक्षा लेने का अवसर नही मिला|
.
उचित शिक्षा का अवसर फोर्ड मोटर्स के मालिक
हेनरी फोर्ड को भी नही मिला।
2.मै अत्यंत गरीब घर से हूँ|
.
पूर्व राष्ट्रपति अब्दुल कलाम भी गरीब घर से थे।
3.बचपन मे ही मेरे पिता का देहाँत हो गया था|
.
प्रख्यात संगीतकार ए.आर.रहमान के
पिता का भी देहांत बचपन मे हो गया था।
4.मै बचपन से ही अस्वस्थ था|
.
आँस्कर विजेता अभिनेत्री मरली मेटलिन भी बचपन
से बहरी व अस्वस्थ थी।
5.मैने साइकिल पर घूमकर आधी ज़िंदगी गुजारी है|
.
निरमा के करसन भाई पटेल ने भी साइकिल पर
निरमा बेचकर आधी ज़िंदगी गुजारी।
6.एक दुर्घटना मे अपाहिज होने के बाद मेरी हिम्मत
चली गयी|
.
प्रख्यात नृत्यांगना सुधा चन्द्रन के पैर नकली है।
7.मुझे बचपन से मंद बुद्धि कहा जाता है|
.
थामस अल्वा एडीसन को भी बचपन से
मंदबुद्धि कहा जाता था।
8.मै इतनी बार हार चूका,अब हिम्मत नही|
.
अब्राहम लिंकन 15 बार चुनाव हारने के बाद
राष्ट्रपति बने थे।
9.मुझे बचपन से परिवार की जिम्मेदारी उठानी पङी|
.
लता मंगेशकर को भी बचपन से परिवार
की जिम्मेदारी उठानी पङी थी।
10.मेरी लंबाई बहुत कम है|
.
सचिन तेंदुलकर की भी लंबाई कम है।
11.मै एक छोटी सी नौकरी करता हूँ,इससे
क्या होगा|
.
धीरु भाई अंबानी भी छोटी नौकरी करते थे।
12.मेरी कम्पनी एक बार दिवालिया हो चुकी है,अब
मुझ पर कौन भरोसा करेगा|
.
दुनिया की सबसे बङी शीतल पेय
निर्माता कम्पनी भी दो बार दिवालिया हो चुकी है।
13.मेरा दो बार नर्वस ब्रेकडाउन हो चुका है,अब
क्या कर पाउँगा?
.
डिज्नीलैंड बनाने के पहले वाल्ट डिज्नी का तीन बार
नर्वस ब्रेकडाउन हुआ था।
14.मेरी उम्र बहुत ज्यादा है|
.
विश्व प्रसिद्ध केंटुकी फ्राइड चिकेन के मालिक ने
60 साल की उम्र मे पहला रेस्तरा खोला था।
15.मेरे पास बहुमूल्य आइडिया है पर लोग
अस्वीकार कर देते है|
.
जेराँक्स फोटो कापी मशीन के
आईडिया को भी ढेरो कंपनियो ने अस्वीकार
किया था पर आज परिणाम सामने है।
16.मेरे पास धन नही है|
.
इन्फोसिस के पूर्व चेयरमैन नारायणमूर्ति के पास
भी धन नही था|उन्हे अपनी पत्नी के गहने बेचने पड़े
थे।
.
.
आप कहेगे कि यह जरुरी नही कि जो प्रतिभा इन
महानायको मे थी,वह मुझ में भी हो|
मै इस बात से सहमत हूँ|
लेकिन,यह भी जरुरी नही कि जो प्रतिभा आपके
अंदर है वह इन महानायको में भी हो!
कोशिश तो कीजिये|हो सकता है की आप उनसे
भी आगे निकल जाये|
.
मतलब यह है कि.....
यदि आप आगे बढ़ना चाहते है तो आपको दो में एक
को चुनना होगा…..
बहाना या सफलता का रास्ता!
.
आप साहसी है|
अपनी मेहनत,हिम्मत और ईमानदारी के दम पर
अपनी किस्मत को बदलने का प्रयास कीजिये|
सफलता का रास्ता खोजना पड़ता है|वह अपने आप
नहीं मिल जाता है|उसे खोजिए और उसपर चलना शुरू
कर दीजिये|एक न एक दिन मंजिल जरूर मिलेगी|
.
खुद भी जगिये और दुसरो को भी जगाइए|लिख
डालिये सफलता की एक नई कहानी ताकि दूसरे लोग
भी आपसे प्रभावित होकर बहानेबाजी छोड़े और
खोज निकालें अपनी सफलता का रास्ता!

Monday, 3 November 2014

Modh brahman itihash 2

[9:21am, 04/11/2014] Paresh: કલિયુગમાં રાજા તથા પ્રજાની મતિ પલટાઈ ગઈ. ફરી મોઢેરા-મોહેરકપુરના નિવાસીઓ-બ્રાહ્મણો વિગેરે ઉપર આપત્તિ આવી. કાન્યકુબ્જ કનોજના આમરાજનો રાજઅમલ આ પ્રદેશ ઉપર શરૂ થયો. તે રાજા એ વૈષ્ણવ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બૌદ્ધ ક્ષપણકના ઉપદેશથી તેની પ્રજા પણ એ ધર્મ પાળવા લાગી. આમરાજાએ પોતાની કુંવરી રત્નગંગાને વલ્લભી રાજા સાથે પરણાવી હતી. તેને આમરાજાએ આ ધર્મારણ્ય પ્રદેશ દાયજામાં અર્પણ કરી દીધો. આ રત્નગંગા જૈન ધર્મ પાળતી હતી. તેણે બ્રાહ્મણોના અધિકાર છીનવી લીધા. બ્રાહ્મણોએ રામચંદ્રજીના તામ્રપત્ર પર થયેલા દાનપત્ર પણ બતાવ્યા. પણ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહિં. બ્રાહ્મણો કાન્યકુબ્જના રાજાને રૂબરૂ ફરિયાદ કરવા ગયા. પણ રાજાએ જવાબ આપ્યો કે, હે બ્રાહ્મણો, હું તમારા દાનપત્રને માનતો નથી. હનુમાનજી તમારા રક્ષક હોય અને તે તમારી ભૂમિ પાછી અપાવે તો લેજો. તેથી બ્રાહ્મણો અપમાનિત બની પાછા ધર્મારણ્યમાં આવ્યા. તેમના પંચોએ એકઠા મળી નિર્ણય કર્યો કે આપણી આજીવિકાના રક્ષણ માટે હનુમાનજીની સહાય મેળવવા કેટલાકને સેતુબંધ રામેશ્વર હનુમાનજી પાસે મોકલવા. આમાં કેટલાક પહેલા દલીલ કરી કે કલિયુગમાં હનુમાનજીના દર્શન થશે નહિં માટે રામેશ્વર જઈને શું કરીશું ? આવી ચતુરાઈ ભરી દલીલ કરનારા પંદર હજાર બ્રાહ્મણો તેમની ચતુરાઈ ભરી વાચાળતાને કારણો બીજા બ્રાહ્મણો દ્વારા ચતુરવિદ-ચાતુર્વિધ તરીકે જુદા ઓળખાયા. છેવટે તો તે પંદર હજારે પણ રામેશ્વર જવા માટે પોતાના પ્રતિનિધિ મોકલ્યા. પંદર હજાર ચાતુર્વિધના વીસ અને ત્રણ હજાર ત્રૈવેદ્યોના અગિયાર પ્રતિનિધિ મળી કુલ એકત્રીસ બ્રાહ્મણો હનુમાનજીને ફરિયાદ કરવા માટે રામેશ્વર તરફ રવાના થયા. માર્ગમાં તેમને ખૂબ ત્રાસ વેઠવો પડયો. ટાઢ, તડકો, વરસાદ સહેવા પડયા. ઉપરાંત ખાનપાન અને ઉતારાની પણ પૂરી સગવડ મળતી ન હતી. વખતો વખત ભૂખ્યા પણ રહેવું પડતું. આથી ચાતુર્વિધોના વીસ પ્રતિનિધિ કંટાળી ગયા અને તે અર્ધા રસ્તેથી પાછા વળ્યા. પણ પેલા ર્દઢ મનવાળા અગિયાર ત્રૈવેધો તો અનેક સંકટો વેઠતા આગળ વધ્યા અને રામેશ્ર્વર પહોંચ્યા. ત્યાં પહોંચી બ્રાહ્મણોએ હનુમાનજીની આરાધના કરવા બેઠા. ભૂખ્યા અને તરસ્યા તે તપસ્વીઓની દયા આવતા હનુમાનજીએ તેમને બ્રાહ્મણ સ્વરૂપે દર્શન આપ્યા. તેમણે પ્રસન્ન થઈ બ્રાહ્મણોની હકીકત સાંભળી અને આમરાજની સાન ઠેકાણે લાવવા માટે પોતે ઉપાય કરશે એમ કહી તેમને દિવ્ય ફળો ખવડાવ્યા એટલે તે બ્રાહ્મણો તાજા અને ઉત્સાહી બની ગયા. પ્રસન્ન થયેલા વાયુપુત્ર હનુમાનજીએ તેમને કપડાનો અંતરપટ રાખી દર્શન પણ આપ્યા. પછી હનુમાનજીએ તેમને પોતાની ડાબી અને જમણી બગલના વાળની ગોળી વાળી બે પડીકી બનાવી બ્રાહ્મણોને આપી. તેમણે બ્રાહ્મણોને કહ્યું કે, આમાની પહેલી પડીકી આમરાજને આપજો. એ પડીકીને સ્પર્શતા જ એનું સૈન્ય અને નિવાસ બળવા લાગશે. તમે તે વખતે દૂર જતા રહેજો. પછી રાજા કરગરતો તમારી પાસે આવે અને તમારું ધર્મારણ્ય તમને પાછું આપવા વચન આપે ત્યારે જમણા બગલના વાળવાળી બીજી પડીકી રાજાને આપજો. તે ચારે તરફ ફેંકવાથી આગ શાંત થશે. બ્રાહ્મણો આ પડીકી લઈ પાછા ધર્મારણ્ય આવ્યા. ત્યાંથી તે કન્યાકુબ્જ ગયા. આમરાજાને પહેલી પડીકી આપી. પડીકીમાં વાળ જોઈ તેણે ગુસ્સે થઈ તે ફેંકી દીધી તે જ વખતે ભયંકર આગ શરૂ થઈ. રાજાની સેના અને મહેલ બળવા લાગ્યા. રાજા ભયભીત થઈ ગયો અને બ્રાહ્મણોના શરણે ગયો અને ધર્મારણ્યનો અધિકાર તેમણે સોંપવાનું વચન આપ્યું. પછી બ્રાહ્મણોએ બીજી પડીકી રાજાને આપતા આગ શાંત થઈ. આ રીતે બ્રાહ્મણો એ વિજય મેળવ્યો અને રાજાએ તેમને નવું તામ્રપત્ર કરી આપ્યું. ધર્મારણ્યમાં ફરી સનાતન ધર્મ પ્રચલિત થયો.
[9:21am, 04/11/2014] Paresh: સંવત ૧૩૫૬ માં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલા નો દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો. ગુજરાત ઉપર મુસ્લિમ રાજ્યસત્તાનો દોર શરૂ થયો. મુસ્લિમ સેનાએ ગુજરાતના મંદિરો તોડયા અને મોઢેરા જે બ્રાહ્મણોનો અજિત ગઢ ગણાતું હતું તે જીતી લેવા ચઢાઈ કરી. આ સમયે મોઢ વિપ્રો કેવળ વેદપાઠી ન હતા. તે સુભટ અને લડવૈયા પણ હતા. જયેષ્ઠીમલ બ્રાહ્મણો તો વજમુષ્ટિ પહેલવાનો તરીકે ગુર્જરેશ્વરની સેનામાં મોખરે રહેતા હતા. બ્રાહ્મણો, વૈશ્યો વિગેરે બધા શુરવીર હતા. તેમણે મોઢેરાના કિલ્લાના દરવાજા બંધ કરી મુસ્લિમ સેનાના આક્રમણનો બહાદુરીથી સામનો કર્યો. માંડવ્ય ગૌત્રના પરાક્રમી બ્રાહ્મણ સુભટ વિઠ્ઠલેશ્વરે મોઢ સેનાને સંગઠિત કરી છ મહિના સુધી શત્રુને હંફાવ્યા. ગુજરાત જીતનાર વિજયી મુસ્લિમ સેનાના દાંત મોઢ સમાજે ખાટા કરી નાખ્યા. મુસ્લિમો છેવટે સુલેહ કરવા તૈયાર થયા. હોળીના દિવસે સુલેહ થઈ કે બ્રાહ્મણો જો ૫,૦૦૦ સોના મહોરો આપે તો મુસ્લિમ સૈન્યો પાછા જશે. તે પ્રમાણે ચુકવણી થઈ અને મોઢેરાના દરવાજા ખુલ્યા. પરંતુ મુસ્લીમોએ દગો કર્યો અને તેમના ઉપર આક્રમણ કર્યું. જેથી મોઢેરા મંદિર લુંટાયું. સૂર્ય મંદિર પણ તોડવામાં આવ્યું. મુસ્લિમો માતાજીની મૂર્તિને ખંડિત ન કરે તે માટે બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ધમૅવાવમાં પધરાવી દીધી એવું કહે છે. અને મોઢ સમાજ અલગ અલગ દિશામાં નીકળી ગયા.

               ગુજરાતમાં સૌકાઓ પછી વડોદરાના ગાયકવાડોની સત્તા ફેલાઈ અને ધાર્મિક સ્થળોની વધુ અવગતિ થતી અટકી. પણ મોઢ બ્રાહ્મણો અને વૈશ્યો મોઢેરા છોડીને અન્ય સ્થળે ચાલ્યા ગયા હતા. જેથી મોઢેરા ફરી આબાદ ન બન્યું. ત્યાર બાદ વડોદરા રાજ્યની ગાદીએ પુણ્યશ્ર્લોક સયાજીરાવ મહારાજ આવ્યા અને તેમણે રેલ્વે લાઈનો દ્વારા મુસાફરી પણ સરળ બનાવી. જેથી માતંગી માતાજી વાવમાં છે એવી ભાવનાથી કોઈક કોઈક મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યો મોઢેરા આવી ધર્મવાવમાં દર્શન કરી સંતોષ અનુભવતા. પણ ત્યાં મોઢેશ્વરી માતાજીનું મંદિર જેવું હતું નહિં. એટલે ધર્મવાવ દુરસ્ત કરી અને માતાજીનું સ્થાનક વિગેરેનું નિર્માણ કરવાના વિચારો મોઢ જનતાને આવ્યા. મૂળ વિરમગામના પણ પાટણ રહેતા વકીલ શ્રી નથુભાઈ ગિરધરલાલે આ કાર્ય માટે ભેખ લીધો. તેમણે વકીલાત છોડી અને શ્રી માતંગી સંસ્થાનો જીણોદ્ધાર ન થાય ત્યાં સુધી માથે પાઘડી બાંધવી નહિં અને પગમાં મોજડી પહેરવી નહિં એવી પ્રતિજ્ઞા લીધી. જીણોદ્ધાર કમિટી સ્થાપી. ગામે ગામ ફરી પ્રચાર સાથે ફાળો એકત્ર કર્યો. વડોદરા રાજ્યની પરવાનગી મેળવી જીણોદ્ધાર નિધિ માટે લોટરી કાઢી. તેમના અથાક પરિશ્રમથી સવંત ૧૯૬૨ માં પ્રારંભ થયો અને સવંત ૧૯૬૬ માં મહા સુદ ૧૩ ના દિવસે હાલના માતાજીનો મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. જામનગરના શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકર અને અમદાવાદના શાસ્ત્રીજી રામકૃષ્ણ હર્ષજી ને હાથે વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. ધર્મશાળા, કોટ અને સિંહદ્વાર નિર્માણ થયાં. સ્વ.શ્રી નથુભાઈ વકીલ વિગેરેને શ્રી પુરુષોત્તમદાસ ઠાકુરદાસ નો પણ સારો સહકાર મળ્યો હતો. પણ તેઓના મરણ પછી કોઈ સમર્થ વહીવટદાર રહ્યા નહિં અને વહીવટ એટલો કથળ્યો કે માતાજી અપૂજ રહેવા લાગ્યા. એટલે સ્વ.ભોગીલાલ સરૈયાએ છેવટે અમદાવાદના ઉદ્યોગપતિ શેઠ શ્રી રમણલાલ લલ્લુભાઈને આ સંસ્થાનો વહીવટ સોંપવા વિનંતી કરી એટલે તેમણે નવી કમિટી બનાવી મંદિરનો વહીવટ સંભાળ્યો. તેમણે તેમના ભાઈ સ્વ.શ્રી રતનલાલ લલ્લુભાઈ ના સાથ સહકારથી અને દાનો મેળવી ધર્મશાળાના નવા રૂમો બંધાવ્યા, મંદિરોનો જીણોદ્ધાર કરાવ્યો. ત્યાર બાદ શ્રી ચંદ્રકાંતભાઈ જગાભાઈ વાળા અને ત્યાર બાદ શ્રી દયાશંકર વિશ્વનાથ ત્રિવેદીના પ્રમુખપદે મંદિરના વિકાસના કામો કરવામાં આવ્યા. શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે યાત્રીઓને રહેવા માટે વિશ્રાંતિગૃહો, રૂમો, જાજરૂ, બાથરૂમો, ફર્નિચર સાથેના રૂમો તેમજ સભાગૃહ તથા જમવા માટે ભોજનાલય તેમજ લાઈટ તથા પાણી માટે બોર, વારિગૃહ, ટાંકીઓ વિગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી. તેમજ ગૌશાળા પણ બાંધવામાં આવી.

Modh brahman itihash 1

[9:21am, 04/11/2014] Paresh: મોઢેરામાં આવેલ મોઢેશ્વરી માં ના મંદિરનું સરનામું તથા સંપર્ક નંબર

સંસ્થાનું નામ - શ્રી મોઢેશ્વરી દેવસ્થાન સંસ્થા

સરનામું - મોઢેરા, તા.બેચરાજી, જિ.મહેસાણા, ગુજરાત, પીન કોડ નં.૩૮૪૨૧૨

સંપર્ક નંબર - ૦૨૭૩૪-૨૮૪૩૨૭, ૦૨૭૩૪-૩૧૪૫૫૨, ૦૨૭૩૪-૨૯૪૦૪૯

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - ગામ-તેરા, તા-અબડાસા, જિ-કચ્છ

              ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નું મંદિર આવેલું છે. તેરા ગામ ભુજથી આશરે ૮૫ કિ.મી. દૂર આવેલ છે. ઇસુની ૧૬ મી સદીમાં શ્રી કલ્યાણજી ભટ્ટ ભુજથી તેરા આવેલા ત્યારે તેઓ મોઢેશ્વરી માતાજીને તેમની સાથે લઇ આવેલ અને તેમના તેરા ગામમાં હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) ના નિવાસસ્થાને માતાજીની સ્થાપ્ના કરેલી. અહીં મોઢ બ્રાહ્મણોના હરિયાણી ભટ્ટ તથા કંકાણી ભટ્ટના સતીમાઁ પણ છે. ત્યાર બાદ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી એ તેરા ગામે જયાં માતાજીનું મંદિર આવેલ છે તે મકાન તથા આસપાસની જમીનના માલિકોનો સંપકૅ કરી તે જગ્યાએ માતાજીનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યકત કરી. જેથી આ જમીનના માલિકો (૧) ગં.સ્વ.શાંતાબેન હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) (૨) શ્રી ઇશ્વરલાલ જટાશંકર જોષી (હાલે-માંડવીવાળા) (૩) ભવાનીશંકર કુંવરજી ત્રિપાઠી આ તમામ પરિવારોના વારસદારોએ પોતાની જમીન મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી. બાદ આ મંદિરના નિર્માણની કાયૅવાહી શરુ થઇ. આ મંદિરની પાયાવિધિ-ભૂમિપુજન તા. ૧૧/૧૦/૧૯૯૭ ના રોજ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી ના હસ્તે કરવામાં આવ્યું હતું અને મંદિરનું સંપૂણૅ કાયૅ તા. ૨૯/૧/૧૯૯૯ ના શુક્રવારે સવંત ૨૦૫૫ ના મહાસુદ-૧૩ ના દિને સંપન્ન થયેલ હતું. તે દિવસથી દર વર્ષે મહા સુદ-૧૩ ના દિને અહીં તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નો પાટોત્સવ ઉજવાય છે.

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - સોલા - અમદાવાદ

              ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતેશ્રી બારાબાવન મોઢ બ્રાહ્મણ વિદ્યોત્તેજક ટ્રસ્ટ મંડળ, ગાંધીનગર દ્વારા છાત્રાલયનું બાંધકામ પૂર્ણતાના આરે હતું. ત્યારે વડોદરા નિવાસી ગં.સ્વ.કમળાબેન ભાનુપ્રસાદ ત્રિવેદી અમેરિકાથી પોતાના વતનમાં આવ્યા. તેમણે છાત્રાલયની મુલાકાત લીધી અને તેમણે અહીં મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. તેથી શ્રી કાંતિભાઈ એમ. જાની એ મહેન્દ્રભાઈ તલાટીનો સંપર્ક કરી સો વાર જમીન મેળવી. ત્યાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી શશમ્બિકા માતાજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તા.૧૩/ર/૧૯૯૬ ના મંદિરોના નિર્માણનું ભૂમિપુજન શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રી અશ્વિનભાઈ પંડયા (મુંબઈ), શ્રી ચંદ્રકાંતભાઈ જાની (અલ્લુવા), શ્રી દિપકભાઈ વિનોદચંદ્ર, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી છોટુભાઈ જોઈતારામ ત્રિવેદી, શ્રી ચંદ્રકાંતભાઈ મૂળશંકર જાની (ત્રિયોડ), તેમજ આ ટ્રસ્ટના પ્રતિનિધિઓ શ્રી ભાનુભાઈ જાની, શ્રી અમૃતલાલ દેવશંકર ત્રિવેદી, શ્રી રજનીકાંતભાઈ પંડયા, શ્રી સુભાષભાઈ ત્રિવેદી, શ્રી જયંતિલાલ ભીખાલાલ ત્રિવેદી, શ્રી સૂર્યકાંતભાઈ કે. જાની, શ્રી નરેશકુમાર ગૌરીશંકર ત્રિવેદી તથા શ્રી નર્મદાશંકર પંડયા અને ડો.શ્રી બી.એલ.ત્રિવેદી વિગેરેનાઓએ મંદિરના નિર્માણ કાર્યમાં રસ લીધો હતો. આ મંદિરમાં એક ગર્ભગૃહ, કોખી મંડપ, નૃત્ય મંડપનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિરનં કાર્ય પૂર્ણ થતા તા. ૩૧/૧૦/૧૯૯૯ ના સવંત ર૦પપ આસો સુદ આઠમના રવિવારે શ્રી માતંગી માતાજીની સ્થાપ્ના કરવામાં આવી.

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - વડોદરા

                                ગુજરાતમાં વડોદરા શહેરમાં ગોત્રી ગાયત્રીનગર વિસ્તારમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે.

                   સૌપ્રથમ આ જગ્યા ખાડા તથા બાવળિયાવાળી હતી. તેને સમથળ કરી ત્યાં દેરી બનાવી તેમાં શ્રી માતંગી માતાજીની છબી જ પધરાવવામાં આવેલ. થોડા વર્ષો બાદ ત્યાં શિખરવાળું મંદિર બનાવવામાં આવ્યું અને તેના પરિસરમાં અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું. મંદિર માટે સને-ર૦૦૧ માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરની સ્થાપ્ના કરવા માટે નોકરીમાંથી નવ વર્ષ પહેલા નિવૃતિ લેનાર શ્રી રમેશભાઈ બી. શાહ (જેમની બંને કિડની બગડી ગયેલ હોવા છતાં હિંમત ન હારનાર) તથા તેમના પત્ની શ્રીમતિ કોકિલાબેન તથા મિત્રો વિગેરેનો ફાળો મહત્વનો છે. આ મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી કાલિકા માતાજી તથા શ્રી અંબા માતાજી પણ બિરાજમાન હોઈ તેને ત્રિમૂર્તિધામ તરીકે પણ ઓળખાય છે. તેમજ આ મંદિરમાં શંકર ભગવાનને પણ બિરાજવામાં આવેલ છે. આ મંદિરમાં નવચંડી યજ્ઞો, લઘુરૂદ્ર, અભિષેક, મહાસુદ આઠમના નવચંડી, દેવ દિવાળીના દિવસે અન્નકુટ વિગેરે તહેવારો ઉજવવામાં આવે છે. તેમજ દર પુનમના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે.

શ્રી મિથેશ્વરી (મોઢેશ
[9:31am, 04/11/2014] ‪+91 98 25 930177‬: મોઢ બ્રાહ્મણના ગૌત્ર 
અ.નં. ગૌત્ર પ્રવર અટક ગૌત્રદેવી
૧ ગાગ્યનિસ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઔર્વ, જમદગ્નિ જાની, પાઠક, દવે શાંતાદેવી
૨ ગાંગાનસ ગૌત્ર વિશ્વામિત્ર, બિલ્વ, કાત્યાયન - સુખદાદેવી
૩ કૃષ્ણાત્રેય ગૌત્ર આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ - ભટ્ટારિકાદેવી
૪ માંડવ્ય ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, શાંત, આપ્નુવાન, જમદગ્નિ ઉપાધ્યાય, દવે, જોષી, ત્રવાડી ભટ્ટારિકાકુળદેવી
૫ વૈશંપાયન ગૌત્ર અંગિરા, અંગિરસ, યૌવનાશ્વ - લિંબજાદેવી
૬ વત્સ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાસ, વત્સ, પુરોઘસ યાજ્ઞિક (જાની) જ્ઞાનજાદેવી
૭ કશ્યપ ગૌત્ર કાશ્યપ, આવત્સાર, નૈધૃવ ઉપાધ્યાય ગાત્રાંડાદેવી

ધારણસ ગૌત્ર
અગસ્તિ, ધતૃવ્ય, ઈદ્મવાહ
જાની, ઉપાધ્યાય, પાઠક, પંડયા, જોષી, ત્રવાડી, ભટ્ટ
છત્રજાદેવી
૯ લૌગાક્ષી ગૌત્ર કાશ્યપ, આવત્સાર, શાંતસ્તંબ ત્રવાડી(ત્રિપાઠી),  પંડયા, ઉપાધ્યાય સદાયોગિનીદેવી
૧૦ કૌશિક ગૌત્ર વિશ્ર્વામિત્ર, દેવરાજ, ઉદાલક ત્રવાડી(ત્રિપાઠી), પાઠક, પંડયા, જોષી યક્ષિણીદેવી
૧૧ ઉપમન્યુ ગૌત્ર વસિષ્ઠ, ઈન્દ્રપ્રદમ, આભ્રદ્રસુ વ્યાસ, પંડયા, ત્રિવેદી, દવે, ભટ્ટ ગાત્રાંડાદેવી
૧૨ વાત્સાયન ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઉર્વ, ભારદ્વાજ - ભટ્ટારિકાદેવી
૧૩ વત્સસ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, વત્સ, પુરોઘસ જાની,ઉપાધ્યાય,પાઠક,પંડયા, દવે, જોષી, વ્યાસ, અગ્નિહોત્રી ભટ્ટારિકાદેવી
૧૪ ભારદ્વાજ ગૌત્ર અંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ દિક્ષીત, જાની, ઉપાધ્યાય, પાઠક, ત્રવાડી, ભટ્ટ, શુકલ, મહેતા ગાત્રાંડાદેવી
૧૫ ગાંગેય ગૌત્ર ગાંગીય, ઔર્વવાન, શંષણી - સિંહારોહદેવી
૧૬ શૌનક ગૌત્ર ભારદ્વાજ, ગાર્ત્સમદ, શૌનક - દુર્ગાદેવી
૧૭ કુનિકસ ગૌત્ર વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક ત્રવાડી(ત્રિપાઠી),રાવલ,શુકલ,ભટ્ટ,મહેતા તારણાદેવી
૧૮ ભાર્ગવ ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, જૈમિની, આપ્નુવાન, મથી - ચામુંડાદેવી
૧૯ પૈગ્ય ગૌત્ર અર્ચનાનસ, અત્રિ, શ્યાવાશ્વ - -
૨૦ અંગિરસ ગૌત્ર આંગિરા, ઔતિથ્ય, ગૌતમ - માતંગીદેવી
૨૧ અત્રિ ગૌત્ર આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ ઉપાધ્યાય ચંદ્રિકાદેવી
૨૨ અઘમર્ષણ ગૌત્ર ભારદ્વાજ, અઘમર્ષણ, ગૌતમ - દુર્ગાદેવી
૨૩ જૈમિની ગૌત્ર વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક - વિશાલાક્ષીદેવી
૨૪ ગાર્ગ્ય ગૌત્ર ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન - નંદાદેવી
૨૫ કુત્સસ ગૌત્ર આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ દિક્ષીત, જાની, દવે, પંડયા, મહેતા, જોષી, રાવળ ચંદ્રિકાદેવી
૨૬ શાંડિલ્ય ગૌત્ર શાંડિલ્ય, દેવલ, અપવત્સાર ઉપાધ્યાય, જોષી, મહેતા -
૨૭ જાતુકર્ણ્ય ગૌત્ર વસિષ્ઠ, આત્રેયસ, જાતુકર્ણ્ય ભટ્ટ -
૨૮ વસિષ્ઠ ગૌત્ર વસિષ્ઠ, ઈન્દ્રપ્રમદ, આભ્રદ્રસુ જોષી -
૨૯ છાંદાનસ ગૌત્ર આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ દવે, ત્રવાડી, ત્રિપાઠી -
૩૦ ગૌતમ ગૌત્ર ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય ત્રવાડી, ત્રિપાઠી -
૩૧ પરાશર ગૌત્ર - ત્રવાડી, ત્રિપાઠી -
૩૨ ઔતથ્ય ગૌત્ર ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય દવે, પંડયા -

Kimmti vato

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
                                        
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

જીવનના સાત પગલા

(૧) જન્મ....
      એક અણમોલ સોગાદ છે,
      જે ભગવાનની ભેટ છે.....

(૨) બચપણ
      મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
      જે ડુબી શક્યો તે તરી ગયો છે....

(૩) તરુણાવસ્થા
     કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે
     મેળવવાની અનહદ આશા અને લુટવાની
     તમન્ના છે.
     તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...
     અને અનેક નવી મૂંઝવણો....

(૪) યુવાવસ્થા
      બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...
      તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની
      ઉમ્મીદો ..
      અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
       ખુદને માટે કશુ ન વિચારતા...
       બીજા માટે કરી છુટવાની ખુશી છે.
       કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
 
  (૬) ઘડપણ    
        વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
        જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
 
૭) મરણ
     જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...
     નાડીએ નાડીએ કર્મ તૂટશે..
     પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...
     ધર્મ-કર્મનો હિસાબ થશે...
     સ્વર્ગ-નરકનો માર્ગ થશે....
     પોતાનાનો પ્યાર છુટશે.........
                અને... 
     સાત પગલા પુરા થશે.....
                માટે..
      સાત પગલાની..
      પાણી પહેલા પાળ બાંધો....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ
      કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર
      છો,  
      માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
      તે ..  પોતે જ... ચાલાક છે...!
      પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
       ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય
       છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ
       રાખો!

(૪) જો તમને...
      પહેરવા કપડા, રહેવા ઘર અને..
      બે ટાઇમ અન્ન મળતું હોય તો...
      ઉપરવાળાનો આભાર માનજો..
      તમારાથી બીજા કેટલા સુખી છે..
      તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
      તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
      બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
      મુખ્ય વાત તો એ જ છે કે..
      તમારી ખોટ કેટલાને પડી?
      તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!
