Monday, 3 November 2014

Modh brahman itihash 2

[9:21am, 04/11/2014] Paresh: કલિયુગમાં રાજા તથા પ્રજાની મતિ પલટાઈ ગઈ. ફરી મોઢેરા-મોહેરકપુરના નિવાસીઓ-બ્રાહ્મણો વિગેરે ઉપર આપત્તિ આવી. કાન્યકુબ્જ કનોજના આમરાજનો રાજઅમલ આ પ્રદેશ ઉપર શરૂ થયો. તે રાજા એ વૈષ્ણવ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બૌદ્ધ ક્ષપણકના ઉપદેશથી તેની પ્રજા પણ એ ધર્મ પાળવા લાગી. આમરાજાએ પોતાની કુંવરી રત્નગંગાને વલ્લભી રાજા સાથે પરણાવી હતી. તેને આમરાજાએ આ ધર્મારણ્ય પ્રદેશ દાયજામાં અર્પણ કરી દીધો. આ રત્નગંગા જૈન ધર્મ પાળતી હતી. તેણે બ્રાહ્મણોના અધિકાર છીનવી લીધા. બ્રાહ્મણોએ રામચંદ્રજીના તામ્રપત્ર પર થયેલા દાનપત્ર પણ બતાવ્યા. પણ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહિં. બ્રાહ્મણો કાન્યકુબ્જના રાજાને રૂબરૂ ફરિયાદ કરવા ગયા. પણ રાજાએ જવાબ આપ્યો કે, હે બ્રાહ્મણો, હું તમારા દાનપત્રને માનતો નથી. હનુમાનજી તમારા રક્ષક હોય અને તે તમારી ભૂમિ પાછી અપાવે તો લેજો. તેથી બ્રાહ્મણો અપમાનિત બની પાછા ધર્મારણ્યમાં આવ્યા. તેમના પંચોએ એકઠા મળી નિર્ણય કર્યો કે આપણી આજીવિકાના રક્ષણ માટે હનુમાનજીની સહાય મેળવવા કેટલાકને સેતુબંધ રામેશ્વર હનુમાનજી પાસે મોકલવા. આમાં કેટલાક પહેલા દલીલ કરી કે કલિયુગમાં હનુમાનજીના દર્શન થશે નહિં માટે રામેશ્વર જઈને શું કરીશું ? આવી ચતુરાઈ ભરી દલીલ કરનારા પંદર હજાર બ્રાહ્મણો તેમની ચતુરાઈ ભરી વાચાળતાને કારણો બીજા બ્રાહ્મણો દ્વારા ચતુરવિદ-ચાતુર્વિધ તરીકે જુદા ઓળખાયા. છેવટે તો તે પંદર હજારે પણ રામેશ્વર જવા માટે પોતાના પ્રતિનિધિ મોકલ્યા. પંદર હજાર ચાતુર્વિધના વીસ અને ત્રણ હજાર ત્રૈવેદ્યોના અગિયાર પ્રતિનિધિ મળી કુલ એકત્રીસ બ્રાહ્મણો હનુમાનજીને ફરિયાદ કરવા માટે રામેશ્વર તરફ રવાના થયા. માર્ગમાં તેમને ખૂબ ત્રાસ વેઠવો પડયો. ટાઢ, તડકો, વરસાદ સહેવા પડયા. ઉપરાંત ખાનપાન અને ઉતારાની પણ પૂરી સગવડ મળતી ન હતી. વખતો વખત ભૂખ્યા પણ રહેવું પડતું. આથી ચાતુર્વિધોના વીસ પ્રતિનિધિ કંટાળી ગયા અને તે અર્ધા રસ્તેથી પાછા વળ્યા. પણ પેલા ર્દઢ મનવાળા અગિયાર ત્રૈવેધો તો અનેક સંકટો વેઠતા આગળ વધ્યા અને રામેશ્ર્વર પહોંચ્યા. ત્યાં પહોંચી બ્રાહ્મણોએ હનુમાનજીની આરાધના કરવા બેઠા. ભૂખ્યા અને તરસ્યા તે તપસ્વીઓની દયા આવતા હનુમાનજીએ તેમને બ્રાહ્મણ સ્વરૂપે દર્શન આપ્યા. તેમણે પ્રસન્ન થઈ બ્રાહ્મણોની હકીકત સાંભળી અને આમરાજની સાન ઠેકાણે લાવવા માટે પોતે ઉપાય કરશે એમ કહી તેમને દિવ્ય ફળો ખવડાવ્યા એટલે તે બ્રાહ્મણો તાજા અને ઉત્સાહી બની ગયા. પ્રસન્ન થયેલા વાયુપુત્ર હનુમાનજીએ તેમને કપડાનો અંતરપટ રાખી દર્શન પણ આપ્યા. પછી હનુમાનજીએ તેમને પોતાની ડાબી અને જમણી બગલના વાળની ગોળી વાળી બે પડીકી બનાવી બ્રાહ્મણોને આપી. તેમણે બ્રાહ્મણોને કહ્યું કે, આમાની પહેલી પડીકી આમરાજને આપજો. એ પડીકીને સ્પર્શતા જ એનું સૈન્ય અને નિવાસ બળવા લાગશે. તમે તે વખતે દૂર જતા રહેજો. પછી રાજા કરગરતો તમારી પાસે આવે અને તમારું ધર્મારણ્ય તમને પાછું આપવા વચન આપે ત્યારે જમણા બગલના વાળવાળી બીજી પડીકી રાજાને આપજો. તે ચારે તરફ ફેંકવાથી આગ શાંત થશે. બ્રાહ્મણો આ પડીકી લઈ પાછા ધર્મારણ્ય આવ્યા. ત્યાંથી તે કન્યાકુબ્જ ગયા. આમરાજાને પહેલી પડીકી આપી. પડીકીમાં વાળ જોઈ તેણે ગુસ્સે થઈ તે ફેંકી દીધી તે જ વખતે ભયંકર આગ શરૂ થઈ. રાજાની સેના અને મહેલ બળવા લાગ્યા. રાજા ભયભીત થઈ ગયો અને બ્રાહ્મણોના શરણે ગયો અને ધર્મારણ્યનો અધિકાર તેમણે સોંપવાનું વચન આપ્યું. પછી બ્રાહ્મણોએ બીજી પડીકી રાજાને આપતા આગ શાંત થઈ. આ રીતે બ્રાહ્મણો એ વિજય મેળવ્યો અને રાજાએ તેમને નવું તામ્રપત્ર કરી આપ્યું. ધર્મારણ્યમાં ફરી સનાતન ધર્મ પ્રચલિત થયો.
[9:21am, 04/11/2014] Paresh: સંવત ૧૩૫૬ માં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલા નો દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો. ગુજરાત ઉપર મુસ્લિમ રાજ્યસત્તાનો દોર શરૂ થયો. મુસ્લિમ સેનાએ ગુજરાતના મંદિરો તોડયા અને મોઢેરા જે બ્રાહ્મણોનો અજિત ગઢ ગણાતું હતું તે જીતી લેવા ચઢાઈ કરી. આ સમયે મોઢ વિપ્રો કેવળ વેદપાઠી ન હતા. તે સુભટ અને લડવૈયા પણ હતા. જયેષ્ઠીમલ બ્રાહ્મણો તો વજમુષ્ટિ પહેલવાનો તરીકે ગુર્જરેશ્વરની સેનામાં મોખરે રહેતા હતા. બ્રાહ્મણો, વૈશ્યો વિગેરે બધા શુરવીર હતા. તેમણે મોઢેરાના કિલ્લાના દરવાજા બંધ કરી મુસ્લિમ સેનાના આક્રમણનો બહાદુરીથી સામનો કર્યો. માંડવ્ય ગૌત્રના પરાક્રમી બ્રાહ્મણ સુભટ વિઠ્ઠલેશ્વરે મોઢ સેનાને સંગઠિત કરી છ મહિના સુધી શત્રુને હંફાવ્યા. ગુજરાત જીતનાર વિજયી મુસ્લિમ સેનાના દાંત મોઢ સમાજે ખાટા કરી નાખ્યા. મુસ્લિમો છેવટે સુલેહ કરવા તૈયાર થયા. હોળીના દિવસે સુલેહ થઈ કે બ્રાહ્મણો જો ૫,૦૦૦ સોના મહોરો આપે તો મુસ્લિમ સૈન્યો પાછા જશે. તે પ્રમાણે ચુકવણી થઈ અને મોઢેરાના દરવાજા ખુલ્યા. પરંતુ મુસ્લીમોએ દગો કર્યો અને તેમના ઉપર આક્રમણ કર્યું. જેથી મોઢેરા મંદિર લુંટાયું. સૂર્ય મંદિર પણ તોડવામાં આવ્યું. મુસ્લિમો માતાજીની મૂર્તિને ખંડિત ન કરે તે માટે બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ધમૅવાવમાં પધરાવી દીધી એવું કહે છે. અને મોઢ સમાજ અલગ અલગ દિશામાં નીકળી ગયા.

               ગુજરાતમાં સૌકાઓ પછી વડોદરાના ગાયકવાડોની સત્તા ફેલાઈ અને ધાર્મિક સ્થળોની વધુ અવગતિ થતી અટકી. પણ મોઢ બ્રાહ્મણો અને વૈશ્યો મોઢેરા છોડીને અન્ય સ્થળે ચાલ્યા ગયા હતા. જેથી મોઢેરા ફરી આબાદ ન બન્યું. ત્યાર બાદ વડોદરા રાજ્યની ગાદીએ પુણ્યશ્ર્લોક સયાજીરાવ મહારાજ આવ્યા અને તેમણે રેલ્વે લાઈનો દ્વારા મુસાફરી પણ સરળ બનાવી. જેથી માતંગી માતાજી વાવમાં છે એવી ભાવનાથી કોઈક કોઈક મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યો મોઢેરા આવી ધર્મવાવમાં દર્શન કરી સંતોષ અનુભવતા. પણ ત્યાં મોઢેશ્વરી માતાજીનું મંદિર જેવું હતું નહિં. એટલે ધર્મવાવ દુરસ્ત કરી અને માતાજીનું સ્થાનક વિગેરેનું નિર્માણ કરવાના વિચારો મોઢ જનતાને આવ્યા. મૂળ વિરમગામના પણ પાટણ રહેતા વકીલ શ્રી નથુભાઈ ગિરધરલાલે આ કાર્ય માટે ભેખ લીધો. તેમણે વકીલાત છોડી અને શ્રી માતંગી સંસ્થાનો જીણોદ્ધાર ન થાય ત્યાં સુધી માથે પાઘડી બાંધવી નહિં અને પગમાં મોજડી પહેરવી નહિં એવી પ્રતિજ્ઞા લીધી. જીણોદ્ધાર કમિટી સ્થાપી. ગામે ગામ ફરી પ્રચાર સાથે ફાળો એકત્ર કર્યો. વડોદરા રાજ્યની પરવાનગી મેળવી જીણોદ્ધાર નિધિ માટે લોટરી કાઢી. તેમના અથાક પરિશ્રમથી સવંત ૧૯૬૨ માં પ્રારંભ થયો અને સવંત ૧૯૬૬ માં મહા સુદ ૧૩ ના દિવસે હાલના માતાજીનો મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. જામનગરના શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકર અને અમદાવાદના શાસ્ત્રીજી રામકૃષ્ણ હર્ષજી ને હાથે વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. ધર્મશાળા, કોટ અને સિંહદ્વાર નિર્માણ થયાં. સ્વ.શ્રી નથુભાઈ વકીલ વિગેરેને શ્રી પુરુષોત્તમદાસ ઠાકુરદાસ નો પણ સારો સહકાર મળ્યો હતો. પણ તેઓના મરણ પછી કોઈ સમર્થ વહીવટદાર રહ્યા નહિં અને વહીવટ એટલો કથળ્યો કે માતાજી અપૂજ રહેવા લાગ્યા. એટલે સ્વ.ભોગીલાલ સરૈયાએ છેવટે અમદાવાદના ઉદ્યોગપતિ શેઠ શ્રી રમણલાલ લલ્લુભાઈને આ સંસ્થાનો વહીવટ સોંપવા વિનંતી કરી એટલે તેમણે નવી કમિટી બનાવી મંદિરનો વહીવટ સંભાળ્યો. તેમણે તેમના ભાઈ સ્વ.શ્રી રતનલાલ લલ્લુભાઈ ના સાથ સહકારથી અને દાનો મેળવી ધર્મશાળાના નવા રૂમો બંધાવ્યા, મંદિરોનો જીણોદ્ધાર કરાવ્યો. ત્યાર બાદ શ્રી ચંદ્રકાંતભાઈ જગાભાઈ વાળા અને ત્યાર બાદ શ્રી દયાશંકર વિશ્વનાથ ત્રિવેદીના પ્રમુખપદે મંદિરના વિકાસના કામો કરવામાં આવ્યા. શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે યાત્રીઓને રહેવા માટે વિશ્રાંતિગૃહો, રૂમો, જાજરૂ, બાથરૂમો, ફર્નિચર સાથેના રૂમો તેમજ સભાગૃહ તથા જમવા માટે ભોજનાલય તેમજ લાઈટ તથા પાણી માટે બોર, વારિગૃહ, ટાંકીઓ વિગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી. તેમજ ગૌશાળા પણ બાંધવામાં આવી.

No comments:

Post a Comment